આઈ શ્રી ખોડીયાર માતાનો ઇતિહાસ - Khodiyar ma history

આઈ શ્રી ખોડીયાર માતાનો ઇતિહાસ ખોડીયાર માતાનો ઇતિહાસ આઈ શ્રી ખોડીયાર માતાનુ પ્રાગટ્ય ભાવનગરના બોટાદના પાળીયાદ જોડે રોહિશાળા નામના નાના એવા ગામમાં સ્થાનક છે આ ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો ખોડીયાર માતાનો ઇતિહાસ મૈત્રક વંશના રાજા શિલાદિત્ય વલ્લભીપુર (ભાવનગરમાં) તેમનું રાજ હતું રાજાના દરબારમાં સાહિત્ય, સંગીત, અને કળા કારીગરો ને ખૂબ જ માન સન્માન કરતો હતો તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અને ગઢવી જેવા અનેક કલાકારોને સ્થાન મળતું હતું મામડિયો ચારણ એ મહાદેવજીનો પરમ ભક્ત હતો તે પશુપાલક હતો તે પોતાનું જીવન ઈમાનદારીથી જીવતો હતો આવા ગુણોના કારણે રાજા શિલાદિત્ય ના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું તે રાજાનો પરમમિત્ર ગણાતો હતો રાજા સાથે પણ તેમના સંબંધો સારા હતા પણ આમની આવી સારી મિત્રતાને કોઈની નજર લાગી ગઈ કોઈએ રાજા ને કહ્યું કે વાનઝીયા નુ મો જોવાથી રાજ્યના કાર્યોમાં વિધન આવે અને અડચન આવે છે મામડિયો ચારણ તો વાણીયો છે તમે એની સાથે બહુ મિત્રતા ના કરો પછી રાજાએ ધીમે ધીમે મામડિયા સાથે મિત્રતા ઓછી કરી તેના પ્રત્યે પ્રેમ પણ ઘટવા લાગ્યો હતો પછી એકવાર ...