ભગવાન કૃષ્ણજીની બાંસુરીનું નામ અને કોણે આપી હતી
ભગવાન કૃષ્ણજીની બાંસુરીનું નામ અને કોણે આપી હતી નમસ્કાર મિત્રો 🙏 આજે આપણે જાણીએશું એક અદભૂત રહસ્ય — ભગવાન શ્રીકૃષ્ણની બાંસુરીનું નામ શું હતું અને આ બાંસુરી તેમને કોણે આપી હતી? કહવામાં આવે છે કે શ્રીકૃષ્ણની બાંસુરી કોઈ સામાન્ય બાંસુરી નહોતી… તેનું નામ હતું “ મોરલી ” અથવા “ મુરલી ”. કેટલીક જગ્યાએ તેને “વેણુ”, “વંશી”, “મહાતી” નામોથી પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ ભગવાનને બાંસુરી કોણે આપી 🙏 “જય શ્રી કૃષ્ણ મિત્રો! આજે આપણે કૃષ્ણ ભગવાનને બાંસુરી કોણે આપી? શિવજીએ? નંદબાપાએ? કે પછી કોઈ દેવતાએ? આજે આપણે શાસ્ત્રીય પુરાવા સાથે સાચું સત્ય જાણશું!” “સદીઓથી લોકો અલગ–અલગ વાર્તાઓ સાંભળતા આવ્યા છે. કોઈ કહે શિવજીએ આપી, કોઈ કહે નંદબાપાએ આપી, અને હવે તો ઈન્ટરનેટ પર વરુણદેવનું નામ પણ ઉમેરી દેવામાં આવે છે! પણ સાચું શું છે? સત્ય તો શાસ્ત્રોમાં જ છે.” શાસ્ત્રીય પુરાવા મુજબ “ભાગવત પુરાણ (દશમ સ્કંધ) મુજબ કૃષ્ણજી વૃંદાવનમાં પોતાના મિત્રોની સાથે યમુના કિનારે રમતા હતા. ત્યાં જ તેમણે બાંસનો એક ભાગ લઈને પોતાની પહેલી બાંસુરી સ્વયં બનાવી હતી.” “શાસ્ત્રોમાં કોઈ દેવતા દ્વારા આપી બાંસુરીનો કહીં પણ ઉલ્લેખ...